Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં દુર્ઘટના, કેમિકલ ગેસ લીક થવાથી ચાર લોકોનાં મોત

અમદાવાદમાં દુર્ઘટના, કેમિકલ ગેસ લીક થવાથી ચાર લોકોનાં મોત
, શનિવાર, 18 જુલાઈ 2020 (22:02 IST)
ગુજરાતમાં સિમાગે નજીક ધોળકા તહસીલના ઢોલી ગામની એક કંપનીમાં ગેસના લિક થવાને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના ચિરીપાલ ગ્રુપ ઓફ કંપનીઝના પરિસરમાં બની હતી  આ ધટના બપોરે ઘટી હતી હાલમાં પોલીસ હાલ ઘટના સ્થળ પર છે અને મૃતદેહોને કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં પીએમ રિપોર્ટ માટે લઈ જવાયા છે.
 
ધોળકામાં ઝેરી ગેસ લીકેજ થતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ધોળી ઈન્ટિગ્રેડેટ સ્પ્રીનિંગ પાર્કમાં આ ઘટના બની છે. એક મજૂરને બચાવવા જતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
આ આખી ઘટનાને સોશિયલ મીડિયા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે કામદારો ખાનગી કંપનીના છે માત્ર આટલું જ નહીં સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે આ કંપની દ્વારા કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડવામાં આવે છે અને સરકારી બાબૂઓ પણ આ વાત અંગે આંખ આડા કાન કરે છે.
 
નાયબ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના જણાવ્યા અનુસાર ચાર મજૂર કેમિકલ વેસ્ટ ટાંકીની સફાઇ કરી રહ્યા હતા. તે જ સમયે, રાસાયણિક કચરામાંથી ઝેરી ગેસની ગંધ આવતા તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં એફઆઈઆર નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Corona Virus Live - ગુજરાતમાં કોરોનાના 949 નવા કેસ, સુરત બન્યુ હોટ સ્પોટ