Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં અત્યાધુનિક ગૌધામ માટે 3 કલાકમાં 21 કરોડનું દાન મળ્યું

સુરતમાં અત્યાધુનિક ગૌધામ માટે  3 કલાકમાં 21 કરોડનું દાન મળ્યું
, સોમવાર, 19 જૂન 2017 (16:03 IST)
સૌરાષ્ટ્રના ગારીયાધાર પાસે આવેલા પરવડી ગામમાં બનનારા ગૌધામ માટે સુરતમાંથી દાનનો અવિરત ધોધ વહ્યો હતો.  કથાકાર રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમાં અને અનુભાઈ તેજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા નામકરણના કાર્યક્રમમાં ઉદાર હાથે સુરત-મુંબઈના ઉદ્યોગપતિઓએ  અંદાજે 21 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.  ગારીયાધાર-પરવડી રોડ ખાતે વર્ષોથી અશક્ત, બીમાર અને ત્યજાયેલી ગાયોની સેવા કરતી ગૌ શાળા હતી. આ ગૌશાળાનું નવીનીકરણ કરવા માટે પ્રવિણભાઈ ખૈનીના અધ્યક્ષસ્થાને બનેલા ટ્રસ્ટ દ્વારા ગોધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સુરત- મુંબઈમાં સહિત પરદેશમાં વસતા ઉદ્યોગપતિઓની સાથે નાના મોટા સૌ કોઈએ ઉદાર હાથે દાન કર્યું હતું. જેમાં 6 કરોડ 11 લાખનું દાન માધવજીભાઈ પટેલ લેન્ડમાર્ક દ્વારા નામકરણ માટે આપવામાં આવ્યું હતું. કથાકાર રમેશભાઈ ઓઝાએ 11 લાખનું દાન કર્યું હતું.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટવિટર પર પહેલીવાર કોઈને મળ્યા 10 કરોડ ફૉલોઅર્સ, જાણો કોણ છે પાંચ સૌથી વધારે ફૉલો કરતા