Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ગરબા આયોજકોની મુખ્યપ્રધાન રૂપાણી સાથે મુલાકાતઃ એક મહિના પછી સમિક્ષા બાદ નિર્ણય

garba programmer meeting for navratri garba
, મંગળવાર, 28 જુલાઈ 2020 (09:17 IST)
કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન થશે કે કેમ તે મુદ્દે ન માત્ર ખેલૈયાઓ પરંતુ ગરબા આયોજકોનાં મનમાં પણ ફફડાટ છે. જેના અનુસંધાને ગરબા આયોજકોએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગરબા આયોજકોને પણ આ વખતે નવરાત્રિનું આયોજન કરી શકાય છે કે નહીં તે બાબતે હજી ક્યારે પણ સ્થિતી સ્પષ્ટ નથી. કોરોનાની પરિસ્થિતિમાં જો ગરબાનું આયોજન કરવામાં આવે તો ગ્રાઉન્ડની કેપેસિટીના 30 ટકા લોકોને ગ્રાઉન્ડમાં ગરબા રમવા મળશે તે પ્રકારનું આયોજન કરવા ગરબા આયોજકો તૈયાર થયા છે. ગરબા આયોજકોનો પણ માનવું છે કે કેપેસિટી કરતા ઓછા ખેલૈયાઓ આવશે તો ટિકિટના દરમાં ધરખમ વધારો થઈ શકે છે. જો કે મુખ્યમંત્રી દ્વારા  કહેવાયું છે કે 30 ઓગસ્ટ પછી પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. તેમણે આ અંગે કોઇ જ નિર્ણય લીધો નથી. ગરબા આયોજકો દ્વારા રોજગારીની પણ અનેક લોકોની સમસ્યા આગળ ધરીને ગરબા આયોજન ની માંગણી કરવામાં આવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં રિકવરી પછી અચાનક થઈ રહી છે મોત ?