Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, પરિવારના ચાર સભ્યોનાં મોત

Dwarka fire news
, સોમવાર, 1 એપ્રિલ 2024 (11:20 IST)
ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસીમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગતાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
 
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ આગ એસીમાં વિસ્ફોટ થવાને કારણે લાગી હતી. આગથી ફેલાયેલા ધુમાડામાં શ્વાસ રુંધાવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
બનાવની ઘટના બાદ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
ફાયર-બ્રિગેડના જવાનોએ જોયું કે ઘરના પહેલા માળે એક દંપતી અને તેમની બાળકી સહિત તેમનાં માતા બેભાન અવસ્થામાં પડેલાં હતાં. આ બનાવ બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
 
મૃતકના દાદી ગ્રાઉન્ડ ફ્લૉર પર હોવાને કારણે સુરક્ષિત બચી ગયા હતા.
 
આગનું સાચું કારણ જાણવા માટે ફૉરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્તાર અંસારીના ઘરે પહોંચ્યા ઓવૈસી