Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારનું સોગંધનામું, માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકો પાસેથી 115 કરોડનો દંડ વસૂલ્યો

ગુજરાત સરકારનું સોગંધનામું, માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકો પાસેથી 115 કરોડનો દંડ વસૂલ્યો
, શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:32 IST)
ઉત્તરાયણને લઇને એક જનહિતની અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે દિવાળી પછી કોરોના ઝડપથી ફેલાયો હતો. ઉત્તરાયણ બાદ પણ આ સ્થિતિ થઇ તો કોણ જવાબદાર રહેશે. ઉત્તરાયણથી વર્ષ 2021 ખરાબ ન થાય, તે જોવાની જવાબદારી સરકારની છે. ઉત્તરાયણ તો એક વર્ષ ઉજવી ન શકીએ. કોર્ટે કહ્યું કે 24 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી સાવધાની રાખવી પડશે.  
 
ગુજરાત સકારે પ્રદેશમાં માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકોને દંડરૂપે 115 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે. આ વાતની જાણકારી સરકાર તરફ્થી એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ સોગંધનામુ આપીને આપી. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝનલ બેંચને આપેલા સોગંધનામામાં જણાવ્યું કે માસ્ક નહી પહેરનાર 23,64,420 લોકો પાસેથી 1,15,88,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. 
 
રાજ્યમાં એપ્રિલથી માસ્ક નહી પહેરવા પર દંડ ફટકાર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલની બે સભ્ય બેંચની સામે કોવિડ સાથે જોડાયેલી ઘણી જનહિત અરજીની મિક્સ સુનાવણી ચાલી હતી. આ દરમિયાન સરકારે આ જાણકારી આપી. આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2022થી IPLમાં રમશે ગુજરાતની ટીમ, 8 નહી 10 ટીમો ભાગ લેશે