Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી ટળી

સુરત ગ્રીષ્મા હત્યા કેસની  સુનાવણી ટળી
, શનિવાર, 16 એપ્રિલ 2022 (12:47 IST)
સુરત ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતા. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી. જોકે આજે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 એપ્રીલ પર મુલતવી રાખી છે. જેથી સંભવતઃ ચુકાદો 21 એપ્રીલના રોજ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.
 
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહારના મુંગેરમાં મોટી દુર્ઘટનાઃ 7 મિત્રો જોતા જ ગંગામાં ડૂબી ગયા, બેના મોત, એકની દૂર દૂર સુધી ખબર નથી