Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાની દહેશત, સતત બીજા દિવસે 500થી વધુ કોરોનાના કેસ

ગુજરાતમાં કોરોનાની દહેશત, સતત બીજા દિવસે 500થી વધુ કોરોનાના કેસ
, શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (09:08 IST)
ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્યખાતા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં 573 કેસ નોંધાયા હતા.
 
જેમાંથી સૌથી વધારે 269 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં અનુક્રમે 74 અને 41 કેસ નોંધાયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
 
જોકે ગુજરાતમાં બુધવારે પણ 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.
આ નિયંત્રણો યથાવત રહેશે
 
8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું
 
25મી ડિસેમ્બરથી
રાજ્ય સરકારેઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધુબનમાં રાધિકા નચી થી જેવા અશ્લીલ રીતે ધાર્મિક અને ભક્તિ ગીતો રજૂ કરતા ગાયકો, કલાકારો અને સારેગામા સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.."