Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂત આંદોલન : કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો આજે એક દિવસના ઉપવાસ પર

ખેડૂત આંદોલન : કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો આજે એક દિવસના ઉપવાસ પર
, સોમવાર, 14 ડિસેમ્બર 2020 (09:52 IST)
કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે અને આજે 19મો દિવસ છે. પોતાનું આદોલન વધુ ઉગ્ર બનાવવા માટે ખેડૂતો આજે દિવસભર અનશન કરશે.
 
વિરોધપ્રદર્શનના ભાગરૂપે ખેડૂતસંઘોના તમામ વડાઓ સોમવારે એક દિવસ પૂરતું અનશન કરશે. એનડીટીવીના અહેવાલ અનુસાર ખેડૂતનેતા ગુરુનામસિંહે સિંઘુ બૉર્ડર પર સંબંધિત જાહેરાત કરી હતી.
 
તો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ માટે અનશન કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જણાવ્યું હતું, "ખેડૂતોનાં પ્રદર્શનોને સમર્થન આપવા માટે હું એક દિવસ અનશન કરીશ. આપના સ્વંયસેવકોને પણ હું જોડાવા માટે અપીલ કરું છું."
 
આ સાથે જ કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિકાયદા પરત લઈ લેશે એવી દિલ્હીના મુખ્ય મંત્રીએ આશા પણ વ્યક્ત કરી હતી.
 
આ દરમિયાન રવિવાર કૃષિકાયદાનો વિરોધ કરવા માટે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણા બૉર્ડર પર રોકી દેવાયા તો ખેડૂતો ત્યાં જ ધરણાં પર બેસી ગયા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય રેલ્વેએ 31 જાન્યુઆરી સુધી આ ટ્રેનોને રદ કરી, અહીં સંપૂર્ણ સૂચિ જુઓ