Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના પૂર્વ પોલીસ કમિશ્નર જસપાલસિંગનુ 91 વર્ષે નિધન

ગુજરાતના પૂર્વ પોલીસ કમિશ્નર જસપાલસિંગનુ 91 વર્ષે નિધન
, સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (18:23 IST)
વડોદરા શહેરની શાન ગણાતા ભગવાન નરસિંહજીના વરઘોડાથી રાતોરાત હીરો બની ગયેલા પૂર્વ પોલીસ કમિશનર તથા વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જસપાલસિંગનું રવિવારે મોડી રાત્રે 91 વર્ષની જૈફ વયે નિધન થયું છે.
પોલીસ તરીકેની પ્રશંસનીય કામગીરી 
 
આઈપીએસ ઓફિસર જસપાલસિંગ 1983માં વડોદરાના પોલીસ કમિશનર બન્યા હતા. તેઓ માત્ર 100 દિવસ માટે જ પોલીસ કમિશનર રહ્યા હતા. પરંતુ આ 100 દિવસમાં જ તેમણે બહુ જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેમના કાર્યકાળમાં વડોદરામાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા હતા. આ દરમિયાન વડોદરામાં નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હતો. રાજ્ય સરકારે પણ વરઘોડો નહિ કાઢવા કહ્યું હતું. ત્યારે જસપાલસિંગની કડક નિગરાની હેઠળે વરઘોડો નીકળ્યો હતો, અને તેમાં કોઈ જ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જેને પગલે જસપાલસિંગ લોકોમાં છવાઈ ગયા હતા. તેથી 100 દિવસમાં જ સરકારે તેમની બદલીના ઓર્ડર આપ્યા હતા અને વડોદરાવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. લોકોમાં હીરો બનેલા જસપાલસિંગે આખરે લોકચાહનામાં પોલીસ કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP : અખિલેશનો PM પર હુમલો, અમિતાભને કહ્યુ - ગુજરાતના 'ગધેડા'ઓનો પ્રચાર કરવો છોડી દે