Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલી જિલ્લામાં ફરી આવ્યો ભૂકંપ, 1.7 ની તીવ્રતાનો આંચકો

earthquake
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (16:54 IST)
ગુજરાતમાં એક દિવસમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી જિલ્લામાં બપોર બાદ 3:45 મિનિટે આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ માસમાં ગુજરાતમાં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં  1.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાંભા પંથક નોંધાયું હતું.  
 
ગઈકાલે મોડી રાત્રે પણ અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. રાત્રે 1.42 વાગ્યે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 45 કિમી દુર નોંધાયું હતું.
 
ભૂકંપ કેમ અનુભાયા છે?
ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. આ આંચકા જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં ખોદકામ માટેના વિસ્ફોટો પણ ભૂકંપ લાવવા પાછળ જવાબદાર કારનો છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફોનને કયા ખિસ્સામાં રાખવો જોઈએ? 100માંથી 100 લોકો નથી જાણતા, ખોટા ખિસ્સ્માં રાખ્યુ તો બનશો નપુંસક