Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'જૂનાગઢના દીવાને' જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા અભિયાન શરૂ કર્યું

'જૂનાગઢના દીવાને' જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા અભિયાન શરૂ કર્યું
, ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (13:13 IST)
જૂનાગઢના નવાબના પપૌત્ર અહમદઅલીએ પાકિસ્તાનમાં જૂનાગઢની જમીન પર કાયદાકીય દાવો કરતું ઑનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેઓ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા માગે છે.
 
તાજેતરમાં જ પાકિસ્તાને નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો. જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. તેના થોડા મહિના પછી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
 
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અહમદઅલીના દાદા નવાબ મહબત ખાને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું.
 
હાલમાં જ 10 ડિસેમ્બરે જૂનાગઢના દીવાન (વઝીર-એ-આઝમ) તરીકે અહમદઅલીની તેમના પિતા જહાંગીર ખાને નિમણૂક કરી હતી.
 
અલી પાકિસ્તાનમાં મુસ્લિમ ઇન્સ્ટિટ્યુટના ચૅરમૅન છે. તેમણે 'જૂનાગઢ ઇઝ પાકિસ્તાન' નામના અભિયાનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે, "જૂનાગઢ પાકિસ્તાન છે એ માત્ર નારો નથી પરંતુ મિશન છે અને હું તેના માટે મારી આખી જિંદગી લગાવી દઈશ"
 
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ મામલે કહ્યું છે, "અલીમાં જૂનાગઢમાં આવવાની હિંમત નથી. પાકિસ્તાનમાં બેસીને ભારતમાંથી જે ભાગ છૂટો ના પડી શકે તેના વડા પ્રધાન પોતાને જાતે જ જાહેર કરવા એ એક ગુલાબી સ્વપ્ન છે, જે ક્યારેય પૂર્ણ નહીં થાય."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND VS AUS Test- ભારતે 30 ઓવરમાં 50 રન નોંધાવ્યા હતા, જે અત્યાર સુધી માત્ર બે ચોક્કા જ લીધા હતા