Publish Date: Sat, 27 Mar 2021 (11:03 IST)
Updated Date: Sat, 27 Mar 2021 (11:04 IST)
દેશમાં કોરોના વાયરસના આંકડા ભયજનક છે. દરરોજ કોરોના ચેપના દૈનિક દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં રોગચાળોએ એક આશ્ચર્યજનક રૂપ ધારણ કર્યું છે, તેના નિયંત્રણમાં અનેક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 62 હજારથી વધુ કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને ચેપને કારણે 291 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી.
કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે લૉકડાઉન થયાના એક વર્ષ બાદ પણ પરિસ્થિતિ વિનાશક છે. સક્રિય કેસો વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ ફરી એક વાર જોર પકડતો જાય છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે અને આ રાજ્યોમાં મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 62,258 નવા કેસ નોંધાયા છે. શનિવારે કોરોના દર્દીઓની સંખ્યા ઘણા મહિનાઓ પછી દેશમાં સૌથી વધુ છે. આ સાથે, દેશમાં ચેપના કુલ કેસ વધીને 1,19,08,910 પર પહોંચી ગયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ ચેપને કારણે 291 લોકોનાં મોત નીપજ્યાં છે, મૃત્યુની સંખ્યા 1,61,240 પર પહોંચી ગઈ છે.