Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના બુલેટીન: 24 કલાકમાં નોંધાયા 23 કેસ, 1 નું મોત

ગુજરાત કોરોના બુલેટીન: 24 કલાકમાં નોંધાયા 23 કેસ, 1 નું મોત
, શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (22:55 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. 
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 24 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,720 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.75 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 204 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 5 લોકો વેન્ટિલેટર પર છે. 199 લોકો સ્ટેબલ છે. 8,14,720 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે તાપીમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. 10,077 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 5,93,263 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IND vs ENG: વરસાદને કારણે મેચ રોકાયુ, ભારત મજબૂત સ્થિતિમાં