Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ સિવિલ મેડિસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબર, 24x7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત

અમદાવાદ સિવિલ મેડિસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબર, 24x7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત
, સોમવાર, 12 એપ્રિલ 2021 (11:41 IST)
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.  
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. 
કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે. 
 
તદનુસાર,
 
1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264
 
મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 940976697
 
આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075
 
યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248
 
જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) – 079-2269000
 
ઉપરોક્ત, તમામ નંબર 24x7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. 
 
આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખ ખાને આ ખેલાડીઓને કેકેઆરની 100 મી જીત માટે શ્રેય આપ્યો હતો, નીતીશ રાણાથી હરભજન સિંઘ સુધી, પરંતુ ઇઓન મોર્ગનને નહીં