Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pirana village Imam Shah Samadhi અમદાવાદના પિરાણા ગામમાં ઇમામશાહ સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે દિવાળ બનાવવા મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Pirana village Imam Shah Samadhi અમદાવાદના પિરાણા ગામમાં ઇમામશાહ સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે દિવાળ બનાવવા મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (11:13 IST)
અમદાવાદ જિલ્લાના પીરાણા ગામમાં ઈમામશાહ સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવવાના મુદ્દે ગામના મુસ્લિમ સમુદાયના સભ્યોએ વિરોધ કર્યો હતો. અહીં મુસ્લિમ સમુદાયના લોકો મકબરો અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે જ્યાં દિવાલ તૈયાર કરવામાં આવી રહી છે ત્યાં વર્ષોથી તારની વાડ છે જે જર્જરિત હાલતમાં છે.
 
ઈમામ શાહની મસ્જિદ અને તેની બાજુમાં આવેલ મકબરો બંને એક જ જગ્યાએ છે, પરંતુ મુસ્લિમ સમાજના લોકો આ જગ્યા ઈમામ શાહ બાવા ટ્રસ્ટની હોવાનું કહી રહ્યા છે. બીજી તરફ હિન્દુ સમુદાયનું કહેવું છે કે સતપંથ ટ્રસ્ટની જમીન છે અને આ જમીન પર મસ્જિદ આવેલી છે. જેના કારણે ગામમાં બંને કોમના લોકો સામસામે છે. વિવાદને કારણે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જાણો આ અંગે બંને સમાજના લોકોનું શું કહેવું છે...
 
ઈમામ શાહ સમાધિ સ્થળ અને મસ્જિદ અમદાવાદથી 18 કિમી દૂર પીરાણા ગામમાં આવેલી છે. મસ્જિદની બાજુમાં પ્રેરણા તીર્થધામ છે, જેમાં નિષ્કલંકી ભગવાનનું મંદિર અને તેની બાજુમાં સમાધિ સ્થળ પણ છે. પ્રેરણા તીર્થ ધામમાં મંદિર અને મસ્જિદ એક જ જગ્યાએ છે. તેમાં ઇમામ શાહની મસ્જિદ અને અન્ય મસ્જિદ તેમજ કબરો છે. મસ્જિદ અને મકબરો વચ્ચે વર્ષોથી તારની વાડ છે. તારની વાડ જર્જરિત હાલતમાં હોવાથી તેને દૂર કરીને ત્યાં દિવાલ બનાવવાનું સતપંથ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ જગ્યાએ દિવાલ બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું હતું, પરંતુ રવિવારે મુસ્લિમ સમાજના કેટલાક સભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને દિવાલ બનાવવાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મામલો ઉગ્ર બન્યા બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
પ્રેરણા તીર્થ ધામના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે મંદિર અને મસ્જિદ વચ્ચે તારની વાડ છે. તારની વાડ વર્ષોથી જર્જરિત થઈ ગઈ હતી અને બીજું કારણ એ હતું કે આરતી અને પૂજા કરતી વખતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિર પર વારંવાર પથ્થરમારો કરવામાં આવે છે. મંદિરે આવેલી બે દીકરીઓની છેડતીના બનાવો પણ બન્યા છે. કલેકટર અને મામલતદારની મંજુરીથી અહીં દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મસ્જિદનો કેટલોક ભાગ મંદિરની જગ્યા પર છે અને અમે અમારી જગ્યાએ દિવાલ બનાવી રહ્યા છીએ. તેમ છતાં કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
 
સૈયદ નાયક શાહબાઝ સૈયદે જણાવ્યું હતું કે, પીરાણા ગામમાં હઝરત બાવા ઈમામ શાહ પીરની દરગાહ આવેલી છે. ટ્રસ્ટ, જે ઈમામશાહ બાવા રોજા સંસ્થા ટ્રસ્ટ છે. તે એક એવી જગ્યા છે જ્યાં તમામ ધર્મના લોકો આવે છે. ટ્રસ્ટમાં બે સમુદાયના લોકોનો સમાવેશ થાય છે, જેમાં સાત સતપંથીઓ, ઈમામ શાહના અનુયાયીઓ અને સૈયદ બાવાના ત્રણ વંશજોનો સમાવેશ થાય છે. સતપંથીઓ પૈસા કમાવવાના લોભમાં છેલ્લા કેટલાક સમયથી આ દરગાહને મંદિરમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આને રોકવા માટે અમે કલેક્ટર, એસડીએમ, સરકારને અનેક વખત રજૂઆતો કરી છે.
 
સંસ્થાએ કલેક્ટરને સ્થળનું નવીનીકરણ કરવા વિનંતી કરી હતી. હિંદુ ટ્રસ્ટીઓ દ્વારા પુનઃસ્થાપનના બહાને સ્થળ પર આખી દિવાલ ઉભી કરવામાં આવી રહી છે. દિવાલ બનાવવા પાછળનું કારણ એ છે કે આ જગ્યાએ ઈમામ શાહ બાવાની મસ્જિદ, કબ્રસ્તાન, મુખ્ય અને નાની દરગાહ આવેલી છે અને તે તેને મંદિરમાં ફેરવવા માંગે છે. કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. કબરો તોડી નાખવામાં આવી છે. મસ્જિદોની વચ્ચે દિવાલ ઊભી કરીને દરગાહને મંદિરમાં ફેરવવાની આ કવાયત છે. આને રોકવા માટે અમે કોર્ટમાં પણ જઈશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2022 LIVE Updates: એયર ઈંડિયાનુ રોકાણ થયુ પુરૂ, LIC નો IPO જલ્દી આવશે નાણામંત્રી