Publish Date: Wed, 15 Sep 2021 (11:29 IST)
Updated Date: Wed, 15 Sep 2021 (11:32 IST)
રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેર થઈ હતી અને સોમવારે તેઓએ શપથ લીધા. ત્યારબાદ અનેક ફેરફારો સરકારના મંત્રીમંડળ અને અધિકારીઓમાં થવાના એંધાણ હતા.
આજે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માંથી ચાર અધિકારીઓની બદલીના આદેશ આવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ તરીકે અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંઘ (2003 બેચના IAS અધિકારી) ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીમાં ડી.એચ.શાહ અને કમલ શાહના સ્થાને ડૉ. મોડીયા (2006 આઇએએસ અધિકારી) અને એન.એન.દવે ની નિમણુંક કરવામાં આવી છે.