Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકડાઉનની સ્થિતીમાં ખાદ્ય સપ્લાય ચેઇન તૂટે નહી તે માટે CMએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ

લોકડાઉનની સ્થિતીમાં ખાદ્ય સપ્લાય ચેઇન તૂટે નહી તે માટે CMએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ  સંચાલકો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ
, ગુરુવાર, 26 માર્ચ 2020 (11:31 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૪ મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હાલની સ્થિતીમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે.
 
આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇસ્યુ કરવાની પણ તાકીદ કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના આવા જે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો અન્ય રાજ્યોમાં સપ્લાય કરે છે તે પણ જળવાઇ રહે અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ કોઇ દુવિધા ન રહે તે જોવા આ મિલ સંચાલકોને અનુરોધ કર્યો હતો.
 
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં જરૂરી ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઇ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના તથા દાહોદના ફલોર-પલ્સ મિલ્સ સંચાલકો જોડાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેપારીઓ માલસામાનની હેરફેરમાં કોઈ તકલીફ પડે તો 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માંગી શકશે : અશ્વિની કુમાર