Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો માર્યો

IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો માર્યો
, સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), મુંબઈના 18 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી.
 
પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો અને B.Tech (કેમિકલ) કોર્સનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેમ્પસમાં સુરક્ષાકર્મીઓએ યુવકને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો.
 
તેણે કહ્યું કે મૃતકે કોઈ સુસાઈડ નોટ' છોડી નથી અને પ્રાથમિક દૃષ્ટિએ તેણે હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો માર્યો હતો.
 
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક બુધન સાવંતે જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતીના આધારે, અમે અકસ્માતે મૃત્યુ નોંધ્યું છે. મામલાની તપાસ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aero India 2023 - વડાપ્રધાન મોદી એરો ઈન્ડિયા 2023નું આજે ઉદ્ઘાટન કરશે