Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી

rain
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (14:33 IST)
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે.  જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
 
 અંબાલાલ પટેલે આગાહી  કરતા જણાવ્યુ કે, ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે  20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 18, 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. 
 
અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેલ્વે વિભાગનો સૌથી મોટો નિર્ણય