rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત, કૈશ થયા બાદ થયો બ્લાસ્ટ, પાયલોટનુ મોત

amreli news
amreli news
 અમરેલીના શાસ્ત્રી નગર સ્થિત રહેવાસી વિસ્તારમાં એક ખાનગી કંપનીના પ્રશિક્ષણ કેન્દ્રનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેનાથી વિમાનના પાયલોટનુ મોત થઈ ગયુ. કહેવાય રહ્યુ છેકે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ વિસ્ફોટ થયો હતો.. જેનાથી આગ લાગી ગઈ હતી.  

 
આ ઘટના પછી આસપાસ દહેશત ફેલાય  ગઈ હતી. સૂચના મળતા જ અગ્નિશમન વિભાગની ટીમ અને પોલીસ કર્મચારીઓ સહિત એક કાફલો તરત ઘટનાસ્થળ પર પહોચ્યો, જ્યા તેમને બચાવ કાર્ય શરૂ કર્યુ. ગયા મહિને મેહસાણાના એક ગામના બહારી વિસ્તારમાં એક ટ્રેનિંગ સેંટરનુ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ.  
 
પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન
આ પ્લેન ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો.
 
12:30 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેને ટેલિફોનિક ફાયરિંગ ઈમર્જન્સી સર્વિસની અંદર કરતાં તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટ અને 22 સેકંડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો. એપ્રોચ કરતાંની સાથે રેસ્ક્યૂ ટીમ દ્વારા અંદર એક પાઈલટ ફસાયેલો હતો, જેને બહાર કાઢીને 108ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલના તબક્કે કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હોઈ શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, એવા બ્લેકબોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ કર્યા છે. આ રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં અમને જોવા મળ્યું છે કે અકસ્માત એક વાછરડી માટે જીવલેણ બન્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરેલીના રહેણાંક વિસ્તારમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેન ક્રેશ, એકનું મોત-વીડિયો