Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિવરફ્રન્ટ પર નવું નજરાણું- વૉક વે શરૂ થતા સાબરતમતીના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઇ શકાશે.

રિવરફ્રન્ટ પર નવું નજરાણું- વૉક વે શરૂ થતા સાબરતમતીના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઇ શકાશે.
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (13:55 IST)
સાબરમતી નદીને અમદાવાદની ઓળખ ગણવામાં આવે છે. પહેલા નદીને નિહાળવા માટે લોકો 7 બ્રીજ પર ઉભા રહેતા હતા. પરંતુ હવે લોકોની આ સમસ્યા દૂર થઈ ગઈ છે. કેમ કે અમદાવાદ વૉક વે બ્રીજનું કામકાજ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે આ બ્રીજ ટૂંક સમયમાં જ શહેરના નાગરિકોના માટે ખુલ્લા મુકવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. 
 
સમયની સાથે રિવરફ્રન્ટપર અવનવા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. 204.91 હેક્ટર જમીનમાં ફેલાયેલા સાબરમતીનો કામ પૂર્વ થવાના આરે છે. 
 
 2021 અંત અથવા 2022ની શરૂઆતમાં વૉક વે ખુલ્લો મુકાય તેવું લાગી રહ્યું છે, આ વૉક વે શરૂ થતા સાબરતમતીના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઇ શકાશે. 
 
વોક-વે બની રહેનાર છે જેની લંબાઈ આશરે 300 મીટર હશે અને 2100 મેટ્રીક ટન વજન ધરવાર તો વોક-વે હશે. ગત વર્ષ જ્યારે શહેરમાં લોકડાઉન નાખવામાં આવ્યું હતું ત્યારથી આ વોક-વે તૈયાર થઈ રહ્યો છે, એટલે શહેરીજનો જ્યારે લોકડાઉનમાં ઘરમાં હતા ત્યારે વોક-વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટની એક જ સોસાયટીના વાહનચાલકોને પોલીસે માત્ર દોઢ માસમાં હેલ્મેટના અધધધ 800 મેમો ફટકારી દીધા