Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આપની ઓફિસ પર રેડ, પોલીસે બે કલાક સુધી લીધી તલાશી- કેજરીવાલે કહ્યું- ડરી ગઇ છે ભાજપ

arvind
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (09:16 IST)
2 કલાક ચાલેલી તપાસ માં પોલીસ ને કઈ ન મળતા ફરી આવીશું કહી ને ગયા છે 
ઇસુદાન ના આ ટ્વીટ ને અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવ્યું છે 
કેજરીવાલ 2 દિવસ ગુજરાત ના પ્રવાસે છે અને તેઓ ગઈ કાલે આમદવાદ આવ્યા છે.

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ ગુજરાત પહોંચે તે પહેલા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ દરોડો લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો, જેમાં પોલીસને કંઈ મળ્યું નથી.
 
કેજરીવાલ રવિવારે સાંજે ગુજરાત પહોંચ્યા કે તરત જ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વિટ કર્યું કે ગુજરાત પોલીસે AAPની ઓફિસ પર દરોડો પાડ્યો છે. ગઢવીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની ઓફિસ પર 2 કલાક સુધી દરોડા પાડ્યા, પરંતુ કંઈ મળ્યું નહીં, તેઓએ કહ્યું કે તેઓ ફરી આવશે."
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરોડાને લઈને ભાજપને ઘેરી હતી અને ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, “ભાજપને ગુજરાતના લોકો તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. ગુજરાતમાં ‘આપ’ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કંઈ મળ્યું નથી, ગુજરાતમાં પણ કંઈ મળ્યું નથી. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ.
 
AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 12 અને 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં રહેશે. તેઓ અહીં સમાજના વિવિધ વર્ગો જેવા કે ઉદ્યોગપતિઓ, ઓટો ડ્રાઈવરો, સફાઈ કામદારો અને વકીલો સાથે ટાઉનહોલ બેઠકો કરશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. AAPના નેતાઓ સતત રાજ્યની મુલાકાતે છે. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ કેજરીવાલે અનેક જાહેરાતો કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાણી એલિઝાબેથ દ્વિતીય જ્યારે પહેલીવાર ભારત આવ્યાં