Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના ચાંદખેડામાં એપાર્ટમેન્ટના દસમા માળેથી નવજાત બાળકને ફેંકીને હત્યા કરી

અમદાવાદના ચાંદખેડામાં એપાર્ટમેન્ટના દસમા માળેથી નવજાત બાળકને ફેંકીને હત્યા કરી
, બુધવાર, 19 એપ્રિલ 2023 (16:47 IST)
- એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા
- નવજાત બાળકની હત્યાની હૃદય કંપાવતી ઘટના
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનારને શોધવાની તજવીજ હાથ ધરી

 
Ahmedabad news in gujarati- પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનારને શોધવાની તજવીજ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યાની હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનાનો પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાં જ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
શંકાસ્પદ લોકોનો ડીએનએ ટેસ્ટ થઈ શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થિત સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમા માળેથી એક નવજાત બાળકને ફેંકીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે સોસાયટીના શંકાસ્પદ લોકોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આ સોસાયટીમાં કેટલી મહિલાઓની ડિલીવરી થઈ છે તેવી વિગતો પણ મંગાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Russia Ukraine War: રૂસ યુક્રેન યુદ્ધમાં તૂટી રહ્યુ છે સૈનિકોનુ મનોબળ ? પુતિન અને જેલેસ્કી જંગ દરમિયાન મેદાનમાં પહોચ્યા