Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોટાદમાં લઠ્ઠાકાંડ, 8થી વધુના મોત, દેશી દારૂ પીતા મોત

બોટાદમાં લઠ્ઠાકાંડ, 8થી વધુના મોત, દેશી દારૂ પીતા મોત
, સોમવાર, 25 જુલાઈ 2022 (18:57 IST)
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
 
ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MS Dhoni: સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલી,