Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ૨૭ જળાશયો હાઈ એલર્ટ અને ૧૨ જળાશયો એલર્ટ ઉપર

rain in rajkot
, બુધવાર, 13 જુલાઈ 2022 (12:00 IST)
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૪૬.૯૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૬૦,૩૬૩ એમસીએફટી જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
 
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૭ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૫૧ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૭૭ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલ ૨૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલ ૬ જળાશયો મળી કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૨ જળાશયો એલર્ટ ઉપર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય