Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Good news - તહેવારોને ધ્યાનમાં લઈને ગુજરાતને મળી 18 સ્પેશ્યલ ટ્રેન

Good news - તહેવારોને ધ્યાનમાં લઈને ગુજરાતને મળી 18 સ્પેશ્યલ ટ્રેન
, મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (11:17 IST)
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય એવી કુલ 18 જેટલી 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે.  આ ટ્રેનો આજથી 30 નવેમ્બર સુધી દોડાવાશે  ભારતીય રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. ઈન્ડિયન રેલવેએ બધા રેલવે ઝોનને આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. તેમાં કેટલીક ટ્રેનો નિયમિત રૂપથી સંચાલિત થશે જ્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસ ચલાવવામાં આવશે. આ સિવાય સાપ્તાહિક ટ્રેનો પણ ચાલશે.
 
જાણો ટ્રેન ક્યાથી ક્યા જશે 
 
ઓખા-મુંબઈ, 
ભાવનગર-આસનસોલ, 
જામનગર-થિરુનવેલી, 
બાંદ્રા-ભાવનગર, 
પોરબંદર-દિલ્હી સરાય, 
પોરબંદર-હાવડા, 
પોરબંદર-મુઝફ્ફરપુર, 
અમદાવાદ-વેરાવળ અને 
અમદાવાદ-જમ્મુ તાવી સામેલ છે. 
રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટિવલ  આ ટ્રેનનું આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિ પ્રસંગે અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો