Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરના વેપારીના 13 વર્ષના પુત્રનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

13-year-old son of Jamnagar businessman dies of heart attack in Mumbai
, મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (13:23 IST)
13-year-old son of Jamnagar businessman dies of heart attack in Mumbai
જામનગરના 13 વર્ષના તરૂણનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતા ઓમ સચિનભાઈ ગંઢેચા નામના 13 વર્ષીય બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી મચી છે. 
 
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મોત થયું છે. જેથી પરિવારમાં શોક છવાયો છે.સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. જેથી તેનું મોત થતા આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના તરૂણનું હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ 42 જેટલી દુકાનો સીલ, 1 લાખનો દંડ