Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના 101 નેતાઓએ નોંધાવી દાવેદારી

મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના 101 નેતાઓએ નોંધાવી દાવેદારી
, શનિવાર, 29 ઑક્ટોબર 2022 (10:11 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની  ગતિવિધિઓ તેજ કરાઈ છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકોએ મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા  હાથ ધરી હતી, જેમાં 101 દાવેદારો એ ટિકિટની માંગ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકો સૌરભ પટેલ, અશોક ધોરાજીયા તેમજ જયશ્રી દેસાઈની ઉપસ્થિતિમાં  મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લુણાવાડા વિધાનસભા માટે સૌથી વધુ 52 ઉમેદવાર, બાલાસિનોરમાં 40 ઉમેદવાર જ્યારે સૌથી સંતરામપુરમાં સૌથી ઓછા 9 ઉમેદવારો એ ટિકિટની માંગ કરી છે.આ તમામ ઉમેદવારોને નિરિક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા.હવે  વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને નિરીક્ષકો પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Labh Pancham 2022 - આજે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ