શાલીમાર પત્થરથી બનેલી આ મૂર્તિ પોતે સ્વયંસિધ્ધ માનવામાં આવી રહી છે. આ મૂર્તિના આઠ હાથ છે, જેમાં એક હાથથી તેમણે દૈત્યના વાળ પકડી લીધા છે. અને બીજા હાથોથી તે દૈત્ય પર ત્રિશૂળથી વાર કરી રહ્યા છે. એવુ પ્રતીત થાય છે કે માતા મહિસાસુર રાક્ષસનો વધ કરી રહી છે. માતાની જમણી બાજુ તેમનુ વાહન સિંહ સ્થાપિત છે. આ મૂર્તિની પાસે ઋષિ માર્કડેયની મૂર્તિ સ્થાપિત છે. જે પુરાણ વાંચવાની મુદ્રામાં છે. માતાના આઠ હાથોમાં ચક્ર, ગદા, ત્રિશૂળ, અંકુશ, ધનુ અને પાશ શસ્ત્ર સુસજ્જિત છે. મૂર્તિનો ઈતિહાસ ઈતિહાસમાં આ મૂર્તિનુ વર્ણન માર્કડેય પુરાણના 'દુર્ગાસપ્તશતિ' નામન અધ્યાયમ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ગ્રંથની રચના સ્વયં સંત માર્કડેયે કરી હતી. આ અધ્યાયમા કર્મ, ભક્તિ અને ધ્યાનના સંદર્ભમાં જ્ઞાન છે. આ મૂર્તિની એતિહસિકતાનો બીજો સ્ત્રોત ભગવદગીતા પણ છે. તુળજાભવાનીની કથા.
કૃતયુગમાં કરદમનામના એક બ્રાહ્મણ સાધુ હતા, જેમની અનુભૂતિ નામની એક સુંદર પત્ની હતી. જ્યારે કરદમનું મૃત્યુ થયુ ત્યારે અનુભૂતિએ સતી થવાનો પ્રણ કર્યો, પણ ગર્ભવતી હોવાને કારણે તેમણે આ વિચાર ત્યાગવો પડ્યો અને મંદાકિની નદીના કિનારે તપસ્યા શરૂ કરી દીધી. આ દરમિયાન કૂકર નામના રાજાએ અનુભૂતિને ધ્યાનમગ્ન જોઈને તેની સુંદરતા પર મોહિત થઈ ગયા અને અનુભૂતિની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન અનુભૂતિએ માતાને પ્રાર્થના કરી અને માતાજી પ્રગટ થઈ ગયા. માઁ ની સાથે યુધ્ધ કરવા દરમિયાન કૂકર એક મહિષ રૂપી રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયો અને મહિષાસુર કહેવાયો. માઁ એ મહિષાસુરનો વધ કર્યો ત્યારબાદથી આ પ્રસંગ 'વિજયાદશમી' કહેવાયો અને માઁ ને 'ત્વરિતા' નામથી પણ ઓળખવામાં આવે છે, જેને મરાઠીમાં તુળજા ભવાની કહે છે.
તુળજા ભવાની પૂજા
આ મંદિરની ખ્યાતિ મરાઠા રાજ્યમાં ફેલાઈ અને આ ડેલી ભોસલે શાસકોની કુળદેવીના રૂપમાં પૂજાવા લાગી. છત્રપતિ શિવાજી પોતાના દરેક યુધ્ધ પહેલા માતા પાસેથી આશીર્વાદ મેળવવા માટે અહીં આવતા હતા.
વિશ્રામશાળા
અહીયા તીર્થયાત્રીઓના વિશ્રામની વ્યવસ્થા મંદિરના પ્રબંધન સમિતિના હાથમાં છે. મંદિરની પોતાની ધર્મશાળા છે જે યાત્રીઓ માટે મફત છે. મંદિરના ચોકની બહાર પણ ઘણી ખાનગી હોટલો અને ઘર્મશાળાઓ છે.
કેવી રીતે પહોંચશો ?
તુળજાપુર સુધી જવા માટે બધી રીતે વાહનોની સગવડ મળી રહે છે. દક્ષિણથી આવનારા યાત્રી નાલદુર્ગ સુધી સરળતાથી બાય રોડ જઈ શકે છે, જે ફક્ત ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોથી આવનારા તીર્થયાત્રી સોલાપુરના રસ્તે તુળજાપુર સુધી આવી શકે છે. જ્યારે કે પૂર્વના રાજ્યો તરફથી આવનારા યાત્રીઓ નાગપુર કે લાતૂરના રસ્તે અહીં આવી શકે છે.
રેલમાર્ગ - તીર્થયાત્રી સોલાપુર સુધી રેલ્વે દ્વારા આવી શકે છે જે તુળજાપુરથી ફક્ત 44 કિલોમીટરના અંતરે આવેલુ છે.
વાયુમાર્ગ - તુળજાપુર સુધી આવવા માટે અહીંથી સૌથી નજીકનુ હવાઈમથક પુના અને હૈદરાબાદના હવાઈમથકો છે, જ્યાથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા આ સ્થળ સુધી પહોંચી શકાય છે.