Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલનો પાટીદારૉએ આભાર માન્યો

કેજરીવાલનો પાટીદારૉએ આભાર માન્યો
સુરતઃ , ગુરુવાર, 9 જૂન 2016 (15:46 IST)
શહેરના વરાછા વિસ્તારમાં પાટીદારોને સમર્થન આપનાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનતા પોસ્ટરને કારણે ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટર પાવર ઓફ પટેલ ગ્રુપે લગાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં કેજરીવાલનો આભાર માનવામાં આવ્યો છે અને નીચે પાવર ઓફ પટેલ ગ્રુપ લખવામાં આવ્યું છે. તેમજ એક બાજુ હાર્દિક પટેલ અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલનો ફોટો છે.  આ ઉપરાંત ઉપરના ભાગે જય સરદાર, જય પાટીદાર લખવામાં આવ્યું છે.

અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું છે કે, પાટીદારો પ્રત્યે સહાનુભૂતિ બદલ અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર. નીચે સરદાર પટેલ અને અરવિંદ કેજરીવાલના ફોટા છે. તેમજ વચ્ચે પાવર ઓફ પટેલ ગ્રૂપનું નામ લખવામાં આવ્યું છે. તેની નીચે પંકજ ધામેલીયા, સંજયભાઈ ઝાલાવાડીયા, મિલન પટેલ અને હિરેન પટેલના નામ લખવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તા.15 સુઘી આવશે વરસાદ