Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદાર સ્વાભિમાન યાત્રા પહેલાં રેશ્મા પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરાઈ

પાટીદાર સ્વાભિમાન યાત્રા પહેલાં રેશ્મા પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરાઈ
, બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (16:15 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે આજે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ પાટીદાર સ્વાભિમાન પદયાત્રાનો ફિયાસ્કો થી ગયો છે. પદયાત્રામાં ભાગ લેવા જઈ રહેલા પાસના કન્વીનર રેશ્મા પટેલ, વરુણ પટેલ, અતુલ પટેલ, ગીતા પટેલ સહિતના પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ કન્વીનરોની વિજાપુરના ભાવસોર બસ સ્ટેન્ડ પાસેથી અટકાયત કરવામાં આવી છે. આ પહેલાં પદયાત્રા સ્થળ પર પહોંચેલા 20 જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની પણ પિલવાઈ ગામ પાસેથી અટકાયત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે રેલવે બજેટ પણ સામાન્ય બજેટ સાથે રજુ થશે, 92 વર્ષ જૂની પરંપરા ખતમ, રેલવેના 10 હજાર કરોડ બચી શકે છે