Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલને શરદ યાદવે પાણી પીવડાવ્યું, ખબર પૂછવા રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે

હાર્દિક પટેલને શરદ યાદવે પાણી પીવડાવ્યું, ખબર પૂછવા રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે
, શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (13:51 IST)
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલાઈઝ્ડ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું હતું. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું. અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિ-પત્નીની લડાઈ દરમિયાન પતિએ સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી શુ થયુ