Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાની લાલચ છે માટે તેમણે જ આ તોફાન કરાવ્યું છે

નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાની લાલચ છે માટે તેમણે જ આ તોફાન કરાવ્યું છે
સુરતઃ , રવિવાર, 24 એપ્રિલ 2016 (00:13 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર નિખિલ સવાણીએ મહેસાણામાં ગત 17મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલા તોફાન માટે સરકારના પ્રવક્તા અને મંત્રી નીતિન પટેલને જવાબદાર ગણાવ્યા છે. નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો છે કે, આનંદીબેન પટેલને સીએમ પદેથી દૂર કરીને નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાની લાલચ છે માટે તેમણે જ આ તોફાન કરાવ્યું છે.


પાટીદાર અનામત આંદોલનમાંથી છેડો ફાડ્યાં બાદ રેશમા પટેલ આક્રમક બની છે. રેશમાએ મંત્રી નીતિન પટેલ પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 'પાટીદાર આંદોલનના મુખ્ય વિલન નીતિન પટેલ જ છે. પાટીદારો પર પોલીસ દમન કરાવવા પાછળ તેમનો જ હાથ છે. પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન નહીં થવા દેવા પાછળ પણ નીતિન પટેલ જ છે. તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનવું છે, એટલે પાટીદારો અને સરકાર વચ્ચે વધુ લડાઇ કરાવીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યાં છે

Share this Story:

Follow Webdunia gujarati