Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?

નવરાત્રિમાં માતા-પિતાઓ પણ ચેતે

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?
નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ.

નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાન
ND
N.D
સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે.


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે.

સુંદર દેખાવાની હોડ ?

નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું મન મોહવા માટે પૂરતું છે. માતા-પિતા તો બિચારા એવું માનીને બેસે છે કે, પોતાનો સંતાનો ગરબે રમવા ગયાં છે પરંતુ હકિકત કંઈક જુદી જ હોય છે. જે દિકરા-દિકરીને માતાજીના ગરબાના મંડપમાં વચ્ચે હોવું જોઈતું હતું તે લવ ગાર્ડનોના ઘોર અંધારામાં જાડીઓની પાછળ પોતાના પ્રેમીઓના મુખમાં મુખ નાખીને પ્રેમના રાસ રમતા નજરે ચડે છે. કામુકતાના આવેશમાં ભાન ભૂલીને અંતે બન્ને એ કૃત્ય કરી બેસે છે જેની સમાજ લગ્ન પહેલા મંજૂરી આપતો નથી.


ગર્ભનિરોધક સાંધનો પ્રત્યેની જાગૃતતા

એક સમય એવો પણ હતો જ્યારે નવરાત્રિ બાદ ગર્ભપાત કરાવવા માટે યુવતીઓ પોતાના માતા-પિતા અથવા તો બહેનપણી સાથે પાછલા બારણે કોઈ ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટોનો સંપર્ક સાધતી હતી. સમાજમાં પોતાના કુટુંબની પ્રતિષ્ઠા બચાવવા માટે માતા-પિતાઓ પણ ડોક્ટરોને મો માંગી રકમે ગર્ભપાત કરવા માટે દબાણ કરતાં. ધનની લાલચમાં અમુક ડોક્ટરો પણ ગર્ભમાં રહેલા એ શિંશુની હત્યા કરી નાખતાં જેની આંખો પણ હજુ સુધી ખુલી હોતી નથી. આપણી સામે એવા કેટલાયે દાખલાઓ બન્યાં છે જેમાં નવરાત્રિ બાદ કોઈ કચરામાંથી તાજુ જન્મેલા મૃત ભ્રૂણ મળી આવ્યું હોય

પરંતુ હવે સમય બદલાયો છે આજના યુવાધનને પ્રણયના રાગ રમવામાં જરા પણ ડર લાગતો નથી. 'આઈ-પીલ' અને 'માલા-ડી' જેવી ગર્ભનિરોધક ગોળીઓથી આજકાલની યુવતિઓ પૂરી રીતે પરિચિત છે જ્યારે યુવકો પણ ખિસ્સામાં રૂમાલ હોય કે, ન હોય પણ પોતાના પાકિટમાં 'કોન્ડોમ' પેકેટ રાખવાનું ભૂલતા નથી. તેઓ બન્ને જાણે છે કે, જ્યાં સુધી તેમની પાસે આ સાધનો છે ત્યાં સુધી તેમને કોઈનો પણ ડર નથી.

વાલીઓ તરફથી અપાતી વિશેષ છૂટ

સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, રાત્રિના બાર વાગ્યા બાદ નવરાત્રિઓના તમામ આયોજનોને બંધ કરી દેવા. એટલે કે, રાત્રિના બાર વાગ્યે તમામ કાર્યક્રમોની પૂર્ણાહૂતિ કરી દેવી. મોટાભાગના આયોજકો તે નિયમને અનુસરે પણ છે અને બાર વાગ્યે લાઉડ સ્પિકરોને બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાં પણ ખેલૈયાઓ વહેલી સવારે ઘરે પહોંચે છે. મા-બાપ પણ ક્યારેય એ પુછવાની દરકાર લેતા નથી કે, રાત્રિના બાર વાગ્યા બાદ તેઓ ક્યાં હતાં ?

આયોજકોની પણ ભૂલ

ગરબા આયોજન કરનારા સંચાલકો પણ આની પાછળ અમુક હદે જવાબદાર છે. અમુક સંચાલકો મધ્ય રાત્રિ બાદ પણ કાર્યક્રમ ચાલુ રાખે છે. અહીં ખેલૈયાઓને પુછનારું અન્ય કોઈ હોતું નથી. મોકો મળતા જ તેઓ રફુ-દફુ થઈ જાય છે અને એકાદ-બે કલાક મોજ મજા કરીને પાછા રમવા માટે જોડાઈ જાય છે. જો કાર્યક્રમોનું વહેલું સમાપન કરી લેવામાં આવે તો માતા-પિતાઓ અને વાલીઓ પણ પોતાના સંતાનો સાથે આવે અને કાર્યક્રમ પૂરા થયે સંતાનો સાથે જ ઘરે પરત ફરે.

પોલીસ વ્યવસ્થાની ઉણપ

જો પોલીસ પણ આ નવ દિવસ દરમિયાન લવ ગાર્ડન, હોટલો, ગેસ્ટ હાઉસો અને અન્ય એકાંત વાળા સ્થળો પર ચાપતો બંદોબસ્ત રાખે તો આ યુવાઓને ભોગ-વિલાસ કરતા રોકી શકે છે પરંતુ એવું પણ બહાર આવ્યું છે કે, અમુક રૂપિયા લઈને ફરજ પરના પોલીસ અધિકારીઓએ સ્વયં આ ખેલૈયાઓને ખુલ્લુ મેદાન આપી દે છે.

અંતે એટલું જ કહેવાનું કે, નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનો પર્વ. ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ? જો આપના પણ કોઈના માતા-પિતા હોય તો આ લેખ વાંચીને પૂરા ચેતી જાવો. ક્યાંક તમારા બાળકો પણ જુવાનીના જોશમાં કોઈ એવું કૃત્ય ન કરી બેસે જેના કારણે અંતે તમારે સમાજની ટીકાનો ભોગ બનવું પડે.


Share this Story:

Follow Webdunia gujarati