Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવસેનાના નેતા સંજય રાઉતની EDએ ધરપકડ કેમ કરી?

શિવસેનાના નેતા સંજય રાઉતની EDએ ધરપકડ કેમ કરી?
, સોમવાર, 1 ઑગસ્ટ 2022 (08:38 IST)
પ્રવર્તન નિદેશાલયે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની અટકાયત કરી છે. રાઉતને ઈડીના કાર્યાલય લઈ જવામાં આવ્યા છે. ઈડી કાર્યાલય બહારથી મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે તેઓ મારી ધરપકડ કરવા જઈ રહ્યા છે અને હું મારી ધરપકડ કરાવવા જઈ રહ્યો છું.
 
સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે શિવસેનાના સાંસદ સંજય રાઉતના ઘરેથી EDએ 11.50 લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે.
સંજય રાઉતે પોતાના પરની કાર્યવાહી અંગે આગળ કહ્યું કે, "સંજય રાઉત ક્યારેય હાર નહીં માને, શિવસેના નહીં હારે. તમે બેશરમ લોકો છો, મહારાષ્ટ્ર કમજોર થયું એ વાતની તમને શરમ આવવી જોઈએ. આવું શિવસેનાને કમજોર કરવા માટે કરાઈ રહ્યું છે. શિંદે સમૂહને શરમ આવવી જોઈએ."
 
આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વીટ પણ કર્યું. તેમાં તેમણે કહ્યું છે કે, "તમે એ વ્યક્તિને ન હરાવી શકો જો ક્યારેય હાર નથી માનતી. નમીશું નહીં, જય મહારાષ્ટ્ર."
 
આ દરમિયાન જ્યારે રાઉતને ઈડી કાર્યાલય લઈ જવાઈ રહ્યા હતા ત્યારે બીબીસી મરાઠીના સંવાદદાતાએ પૂછ્યું કે શું તેમની ધરપકડ કરાશે? આ અંગે તેમણે કહ્યું કે અમે લડીશું.
 
ઈડી 31 જુલાઈની સવારથી જ રાઉત દંપતીની પૂછપરછ કરી રહ્યું હતું. રાઉતના ઘરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની ટીમે દરોડો પાડ્યો. ઈડીએ મુંબઈના ભાંડુપમાં એક ઘર પર રેડ કરી.
 
રાઉતની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરાઈ. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યું કે તપાસ બાદ સંજય રાઉતની અટકાયત કરાઈ હતી.
 
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીની ટીમે રવિવારે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતના મુંબઈના મુલંડના ઘરે છાપો માર્યો હતો, જે બાદ તેમની અટકાયત કરી લેવાઈ હતી.
 
એએનઆઈએ આ બાબતે ટ્વીટ કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LPG Price Today 1 August 2022: LPG સિલિન્ડર સસ્તું થયું, આજથી કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો થયો