Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દર્દનાક - ઉલ્ટી કરવા માટે બસમાંથી ડોકિયુ કાઢતા બાળકીનુ માથુ કપાયુ

દર્દનાક - ઉલ્ટી કરવા માટે બસમાંથી ડોકિયુ કાઢતા બાળકીનુ માથુ કપાયુ
, મંગળવાર, 21 માર્ચ 2023 (16:16 IST)
ગરમીમાં શરીરનુ તાપમાન સામાન્ય રાખવા અને ગરમીથી બચવા માટે 10 ઠંડા પીણા 
 
મઘ્યપ્રદેશના ખંડવામાં સોમવારે રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં સાત વર્ષની બાળકીનુ મોત થયુ. છૈગામ માખણની પાસે બાળકી બસની બારીમાંથી ઉલ્ટી કરવા માટે પોતાનુ મોઢુ બહાર કાઢી રહી હતી. ત્યારે સાઈડ પરથી જઈ રહેલી એક આઈશર ગાડી સાથે તેનુ માથુ એ રીતે અથડાયુ કે બાળકીના માથાના ટુકડા થઈ ગયા. દુર્ઘટનામાં તેની આંખનો ઉપરનો ભાગ શરીરથી અલગ થઈને બહાર પડી ગયો. જેને જોઈને બસમાં સવાર મુસાફરો પણ કાંપી ગયા 
 
 લોહીથી લથપથ બાળકીના મૃતદેહને બસ દ્વારા ખંડવા લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં માસૂમનું મોત નીપજ્યું હતું. અકસ્માતથી રોષે ભરાયેલા સ્વજનોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે નસીબજોગે બસમાં બેઠેલા અન્ય કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી સાથે જ પોલીસે બસને જપ્ત કરી હતી અને ડ્રાઇવર અને ક્લિનરને કસ્ટડીમાં લીધા હતા.
 
ખંડવાના પદમનગર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર કેવલરામ સર્વિસ બસ (MP-12 P-8118)ને જપ્ત કરી લેવામાં આવી છે અને ડ્રાઈવર અને ક્લિનરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. છૈગાંવ માખણ પોલીસ સ્ટેશન વિસ્તારની બાબતને કારણે, ત્યાં અકસ્માતની સ્થાપના કરવામાં આવી છે. ઇન્દોરના તેજાજી નગરમાં રહેતા રાજકુમારીના પિતા ચીકુ (7)નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજકુમારીનો પરિવાર મૂળ સિંગોટનો છે. પરંતુ આજીવિકાના કારણે તે તેજાજી નગરમાં શિફ્ટ થઈ ગયો.
 
દેવી પૂજા માટે ઘરે જઈ રહી હતી 
 
માસી છબીબાઈએ જણાવ્યુ કે અમારી દેવી પૂજા અમાસના દિવસે સરાય ગામમાં થાય છે. એ માટે હુ મારા પરિવાર સાથે રાજકુમારીને લઈને સરાય જઈ રહી હતી. અમે બસમાં બેસ્યા હતા. છૈગામ માખણ પાસે બસ તેજ ગતિમાં હતી. રાજકુમારીને ઉલ્ટી થવા લાગી. તો તેણે માથુ બારીમાંથી બહાર કાઢ્યુ. ઉલ્ટી કર્યા પછી તેણે પોતાનુ મોઢુ પરત અંદર લઈ લીધુ હતુ. પણ બસે એ રીતે ઝટકો આપ્યો કે સાઈડમાં બેસેલી રાજકુમારીનુ માથુ કાંચ સાથે અથડાયુ. કાંચ તૂટી ગયો અને બાજુ પર ચાલી રહેલી આઈશર ગાડીમાં તેનુ માથુ આવી ગયુ.  બીજી બાજુ પોલીસનુ કહેવુ હતુ કે ઉલ્ટી કરતી વખતે બાળકીનુ માથુ આઈશર ગાડી સાથે અથડાય છે. 
 
 માતા પિતાને નથી આપ્યા દુખદ સમાચાર 
 
રાજકુમારીના મોત પછી પરિજનો રડી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે રાજકુમારીના પરિવારમાં પિતા, મા સુનીતા, બે ભાઈ અને એક બહેન છે.  માતા-પિતાને ધ્રાસકો ન લાગે એ માટે તેમણે મોતના સમાચાર આપ્યા નથી.  તેમને બસ એટલુ જ કહ્યુ કે તમે લોકો આવી જાવ. રાજકુમારી ઠીક છે. 
 
પરિજને બસ પર કર્યો પત્થરમારો 
ઘટનાના સમાચાર મળતા જ પરિવારના સભ્યો ઈન્દોર નાકા પર એકત્ર થઈ ગયા. તેમણે ત્યા બસ પર પત્થર ફેંકવા શરૂ કર્યા, તો ઈન્દોર રોડ સ્થિત બસ સ્ટેંડ સુધી તે બસ પર પત્થર મારતા રહ્યા.  આ દરમિયાન બસમાં બેસેલા લોકો ગભરાય ગયા. જો કે અચાનક થયેલા પત્થરમારાની આ ઘટનામાં બસમાં બેસેલા કોઈપણ મુસાફરના જાનમાલને કોઈ નુકશાન થયુ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs AUS : ટીમ ઈંડિયાને ચેન્નઈમાં પહેલીવાર કરવુ પડશે આ કામ, રોહિત શર્મા સામે મોટુ ટારગેટ