Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ટ્રકે 3 બસને મારી ટક્કર, 17ના મોત - 50થી વધુ ઘાયલ

satna news
, શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (11:28 IST)
સતના જિલ્લામાં શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી ત્રણ બસો ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 12થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા બપોરે 12.30 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. અહીં ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
 
શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યાની વાત કહેવામાં આવી રહી છે. સમાચાર મળતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘાયલોની હાલત જાણવા શુક્રવાર-શનિવારે બપોરે 12.30 વાગ્યે રીવાની સંજય ગાંધી હોસ્પિટલ પહોંચ્યા. લોકોએ હોસ્પિટલમાં સીએમ શિવરાજ સિંહને ઘેરી લીધા અને ઘટના વિશે જણાવ્યું. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને સારી સારવાર આપવાની ખાતરી પણ આપી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં CGBM ટેકનોલોજીથી બનેલો રોડ મજબૂતી અને ગુણવત્તાની પરીક્ષામાં પાસ, છ વર્ષથી અડીખમ, તિરાડો, ખાડા પડ્યા નથી