Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના માટે જવાબદાર લોકોને ખબર પડી, રેલવે મંત્રી અશ્વિનીએ કહ્યું

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના માટે જવાબદાર લોકોને ખબર પડી, રેલવે મંત્રી અશ્વિનીએ કહ્યું
, રવિવાર, 4 જૂન 2023 (10:43 IST)
Coromandel Express Derail: અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ અકસ્માત ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થયો હતો. આ ઘટનામાં જવાબદાર લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. 
 
તેમણે કહ્યું કે, ગઈકાલે (3 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. 
 
ગઈકાલે રાત્રે (3જી જૂન) એક ટ્રેકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. આજે એક ટ્રેકને સંપૂર્ણ રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ કોચને હટાવી લેવામાં આવ્યા છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કામગીરી ઝડપથી ચાલી રહી છે અને બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kohinoor India: અગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની લઈ ગઈ હતી ભારતનો કોહિનૂર, બ્રિટને વર્ષો પછી પહેલીવાર સ્વીકાર્યું, શું હવે પાછો આપશે?