Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'પહલગામના આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના કોઈ પુરાવા નથી', ચિદમ્બરમના નિવેદન પર હોબાળો, ભાજપે શું કહ્યું?

ચિદમ્બરમના નિવેદન પર હોબાળો
, સોમવાર, 28 જુલાઈ 2025 (14:56 IST)
કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના પહલગામ હુમલાને લીને આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ચિદંબરમના આ નિવેદન સામે ભાજપે નિશાન તાક્યું છે.
 
પી. ચિદંબરમે 'ધ ક્વિંટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે પહલગામમાં હુમલા કરનારા 'આતંકવાદી ક્યાંથી આવ્યા, તેના કોઈ પુરાવા નથી.'
 
ઇન્ટરવ્યૂ દરમિયાન ચિદંબરમને સવાલ કર્યો છે કે 'આપના હિસાબે સરકાર શું છુપાવવાની કોશિશ કરી રહી છે.'
 
તેના પર જવાબ આપતા ચિદંબરમ કહે છે, "આ એક અનુમાન છે, મારા હિસાબે તેઓ એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને સીડીએસે પણ ઇશારો કર્યો છે કે 'અમે સામરિક ભૂલો કરી, અમે તેના પર ફરીથી રણનીતિ બનાવી.' તો કઈ સામરિક ભૂલો કરી આપણે? અને અમે ફરી કઈ રણનીતિ બનાવી? આ સવાલો પર જવાબ દેવામાં સક્ષમ નથી અથવા તો જવાબ આપવા નથી માગતી."
 
"બીજું એ કે આ લોકો એનઆઈએનો રિપોર્ટ જાહેર નથી કરવા માગતા, આ એજન્સીએ કઈ તપાસ કરી, શું એજન્સી આતંકવાદીઓની ઓળખ કરી શકી કે તેઓ ક્યાંથી આવ્યા હતા? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આપણા ઘરમાં તૈયાર થયા આતંકવાદી પણ હોઈ શકે છે. તમે એવું કઈ રીતે માનો છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેના કોઈ પુરાવા નથી. આ લોકો નુકસાનને પણ છુપાવી રહ્યા છે."

ચિદંબરમે કહ્યું, "મેં લખેલી એક કટારમાં પણ જણાવ્યું કે યુદ્ધમાં બંને તરફ નુકસાન થાય છે. હું સમજ્યો છું કે ભારતને પણ નુકસાન થયું હશે. તેને જણાવો."
 
ચિદંબરમના આ નિવેદન પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જ્યારે-જ્યારે આતંકવાદ અને પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પણ પોતાનો બચાવ નથી કરતું એટલું કૉંગ્રેસ કરે છે."
 
"અમે ભોગવ્યું છે. અને અમે જાણીએ છીએ કે પાકિસ્તાનની નાપાક હરકત છે. જે ચાહે છે કે ખુદ તો પ્રગતિ નથી કરી શક્યા, સાથે બીજાને પણ નહીં કરવા દે."
 
કૉંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ચિદંબરમનો બચાવ કર્યો.
 
પ્રમોદ તિવારીએ કહ્યું, "અમે આ જાણવા માગીએ છીએ કે આતંકવાદી ક્યાં છે, જેમણે 26 બહેનોનું સિંદૂર ઉજાડ્યું? સરકાર હજુ અક્ષમ છે. અસફળ છે."
 
તેમણે કહ્યું, "સરકાર જણાવે કે એ આતંકવાદી કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેઓ હજુ કેમ જીવે છે? સરકારે તેનો જવાબ આપવો પડશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૧ ઓગસ્ટથી આ મોટા નિયમો બદલાશે! હવે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે