Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિધિની વિટંબણા !! લગ્ન થયા હતા એ જ મંડપમાં મુકવામાં આવી વરરાજાની અર્થી, લગ્નના 6 દિવસ બાદ જ છિનવાય ગયુ સેંથાનૂ સિંદૂર

વિધિની વિટંબણા !! લગ્ન થયા હતા એ જ મંડપમાં મુકવામાં આવી વરરાજાની અર્થી,  લગ્નના 6 દિવસ બાદ જ છિનવાય ગયુ સેંથાનૂ સિંદૂર
, શુક્રવાર, 25 નવેમ્બર 2022 (16:13 IST)
લગ્ન અને જીવનને લઈને યુવાનોના ઘણા સપના હોય છે. લગભગ દરેક નવપરિણીત યુગલ લગ્ન પછી ભગવાનના દર્શન કરવા અને પછી ક્યાંક ફરવા જવા ઈચ્છે છે. પરંતુ કેટલીક વસ્તુઓ આપણા હાથમાં હોતી નથી. આવી બાબતોને બનતી અટકાવવા માટે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરી શકીએ છીએ. પરંતુ ક્યારે શું થાય છે તે આપણા હાથમાં નથી હોતું. આવી જ ઘટના બારામતીમાં પણ બની હતી. જે મંડપમાં યુવકના લગ્ન થયા હતા, આજે તે જ મંડપમાં તેનો મૃતદેહ મુકવાનો વારો આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર બારામતી તાલુકો હચમચી ગયો છે.
 
બારામતીમાં એક છોકરીના લગ્નના છઠ્ઠા દિવસે તેના કપાળ પરનું સિંદૂર ભૂંસાઈ ગયું, વરને જોરદાર હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. જેથી મૃતદેહને તે જ મંડપમાં લઈ જવામાં આવ્યો જેમાં તેણે લગ્ન કર્યા હતા. ઘટના બારામતી તાલુકાના માલેગાંવની છે.
 
ઘરમાં લગ્નના કામની મજા જ અલગ હોય છે. બારામતી તાલુકાના માલેગાંવમાં રહેતા યેલે પરિવારમાં પણ આ જ ખુશી જોવા મળી હતી.  થોડા દિવસો પહેલા ઘરની સામે મંડપમાં લગ્નમાં વરરાજા તરીકે ઉભેલા સચિન ઉર્ફે બબલુ યેલેનું આજે સવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.  પરિવારે લગ્ન માટે ઘરની સામે મંડપ બનાવ્યો હતો આજે એ જ સ્થાન પર મૃતદેહ મુકવાની કમનસીબ સમય આવી ગયો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jio True 5G : ગુજરાતના 33 જિલ્લામાં 5G લાવનાર પ્રથમ ઓપરેટર બન્યું, 100 શાળાઓને કરશે ડિજિટાઇઝ