Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ayodhya: શ્રી રામજન્મભૂમિમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

ayodhya
, બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (17:34 IST)
Ayodhya- શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર કરવામાં આવેલા ખોદકામમાં એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. તેમાં અનેક શિલ્પો અને સ્તંભો છે. આ અવશેષો મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનાં દર્શન માટે રાખવામાં આવ્યા છે. બુધવારે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ મંદિર નિર્માણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
 
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે જાન્યુઆરી 2024માં પવિત્રાભિષેકની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 2019માં રામ મંદિર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી રામ નગરી સતત સમાચારોમાં છે.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે શ્રી રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ શુભ પ્રસંગે એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા હતા. સત્ય ક્યાં છુપાય છે!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે સરકારની પોલ ખોલી, બિપરજોય વાવાઝોડામાં કેન્દ્રએ રાજ્ય સરકારને કોઈ મદદ નથી કરી