Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામમય થઈ રામની નગરી અયોધ્યા, મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરી

રામમય થઈ રામની નગરી અયોધ્યા, મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરી
, મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (09:34 IST)
રામની નગરી મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન માટે તૈયાર છે. અયોધ્યામાં એકબાજુ રામલલાના ભવ્ય મંદિરની આધારશિલા મુકવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુદ આવી રહ્યા છે તો બીજી બાજુ સીએમ યોગી ખુદ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. ગૌરી ગણેશના પૂજન સાથે જ અનુષ્ઠાનની શરૂઆત પણ થઈ ચુકી છે.  
 
અયોધ્યામાં દિપાવલી જેવો નજારો છે. રંગબેરંગી રોશનીથી રોશન અયોધ્યામાં લોકો દીપોત્સવ ઉજવી રહ્યા છે. અયોધ્યાવાસીઓમાં ઉલ્લાસ છે. દર તરફથી રામ નામના સંકીર્તનની ધ્વનિ ગૂંજી રહી છે. મંદિરને લઈને તૈયારીઓના સંબંધમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર  ટ્ર્સ્તના ચંપત રાયે જણાવ્યુ કે દેશભરના 135 સંતોને આમંત્રિત કરવામા આવ્યા છે. આ કાર્યક્રમમાં દેશના દરેક ભાગના લોકોની ભાગીદારી રહેશે.  તેમણે કહ્યુ કે અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ રામ મંદિર ભૂમિ પૂજનના અનુષ્ઠાનના મુખ્ય મહેમાન રહેશે. 
 
ચંપત રાયના મુજબ રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમમાં મુખ્ય પંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ અને રાજ્યપાલ આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મંચ પર રહેશે. ચાતુર્માસમાં, ચંપક રાયે મંદિરના શિલાન્યાસ અને રામલાલાના લીલા રંગના ડ્રેસને લગતા વિવાદો પર પણ ખુલીને વાત કરી હતી.
 
તેમણે કહ્યું કે મંદિરના નિર્માણ માટે મુહૂર્ત પંડિતોએ નક્કી કર્યુ  અને ડ્રેસનો રંગ લીલો ઇસ્લામ નહી પણ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેના વિશે કોઈ વિવાદ હોવો જોઈએ નહીં. ચંપત રાયે જણાવ્યું હતું કે મંદિરના નિર્માણ માટે સમાજના દરેક વર્ગનો સહયોગ મળી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન મુહૂર્ત નક્કી કરનારા પૂજારીને પણ ધમકીઓ મળી રહી છે. કર્ણાટકના બેલાગવીની પોલીસે પુજારી વિજયેન્દ્રની તાહિર પર દાવો દાખલ કર્યો છે અને તેના નિવાસ સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.  ઉલ્લેખનીય છે કે રામ મંદિર માટે ભૂમિપૂજન 5 ઓગસ્ટે થવાનું છે. પીએમ મોદી મંદિર નિર્માણ માટે શીલપટ્ટનું પણ અનાવરણ કરશે. ટ્રસ્ટ તરફથી બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat corona update - આજે 24 કલાકમાં ગુજરાતમાં 1009 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 64,684