Publish Date: Tue, 18 Jan 2022 (13:28 IST)
Updated Date: Mon, 24 Jan 2022 (16:14 IST)
Punjab Assembly Election 2022- આમ આદમી પાર્ટીએ પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભગવંત માનના નામ પર મહોર લગાવી છે. પંજાબમાં સામાન્ય માણસનો ચહેરો હવે ભગવંત માન હશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન મુખ્યમંત્રી પદના શપથ લેશે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભગવંત માન પંજાબમાં સૌથી મોટો ચહેરો છે, તેઓ સંગરુરથી બે વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.