Publish Date: Mon, 21 Oct 2024 (15:08 IST)
Updated Date: Mon, 21 Oct 2024 (15:11 IST)
પુણે મંડાઈ મેટ્રો સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર રવિવારે મધરાતે આગ લાગી હતી, પરંતુ આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. ફાયર એન્જિન વિભાગના જણાવ્યા અનુસાર આગની ઘટના વેલ્ડીંગના કામ દરમિયાન બની હતી.
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આગની માહિતી મળતાં જ પાંચ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી." આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે 'X' પર પોસ્ટ કર્યું કે આગ બુઝાઈ ગઈ છે અને ઘટનાને કારણે મેટ્રો સેવા પર કોઈ અસર થઈ નથી.