Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૃષિકાયદા અંગે શું બોલ્યા- 3 કૃષિ કાયદા પરત ખેંચાયા

કૃષિકાયદા અંગે શું બોલ્યા-  3 કૃષિ કાયદા પરત ખેંચાયા
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (10:05 IST)
કૃષિકાયદા અંગે શું બોલ્યા?
ત્રણ કૃષિકાયદા લાવવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત અને એ માટે વધારે વિકલ્પો મળી રહે.
આ માટે વર્ષોથી દેશના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.
આ કાયદાઓ પર સંસદમાં મંથન થયું અને કાયદા લાવવામાં આવ્યા હતા.
દેશમાં ખૂણે-ખૂણે કરોડો ખેડૂતોએ આ કાયદાનું સમર્થન કર્યું હતું, હું આજે તેમનો આભાર માનું છું.
અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે અને દેશના કૃષિજગતના હિત માટે આ કાયદા લાવી હતી, પણ આ અંગે અમે કેટલાક ખેડૂતોને સમજી ન શક્યા.
ખેડૂતોનો એક વર્ગ જ આનો વિરોધ કરી રહ્યો હતો, છતાં એ અમારા માટે મહત્ત્વપૂર્ણ વાત હતી.
અમે એ ખેડૂતોને અનેક માધ્યમોથી સમજાવવાન પ્રયાસ કર્યો.
હું આજે દેશવાસીઓની ક્ષમા માગીને પવિત્ર હૃદયથી કહેવા માગું છું કે કદાચ અમારી કોઈ તપસ્યામાં જ કોઈ ખામી હશે કે અમે આ વાત કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા.
આજે પ્રકાશપર્વ છે, આજે હું પૂરા દેશના કહેવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિકાયદા પરત લેવાનો નિર્ણય લીધો છે
webdunia

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે પ્રજા સરકાર પાસે નહીં સરકાર પ્રજાના દ્વારે આવે છે'