Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંસદનુ શીતકાલીન સત્ર શરૂ થતા પહેલા બોલ્યા PM મોદી - દરેક મુદ્દા પર થાય ખુલ્લા મને ચર્ચા

સંસદનુ શીતકાલીન સત્ર શરૂ થતા પહેલા બોલ્યા PM મોદી - દરેક મુદ્દા પર થાય ખુલ્લા મને ચર્ચા
, સોમવાર, 18 નવેમ્બર 2019 (10:47 IST)
આજથી (18 નવેમ્બર) સંસદના શિયાળુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. શીતકાલીન સત્રના પહેલા દિવસે દિવંગત અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને રામ જેઠમલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલી નાણામંત્રી અને સુષમા સ્વરાજ વિદેશમંત્રી હતાં. સંસદમાં જમ્મુ-કાશ્મીર અને નાગરિકતા સંશોધન બિલ સહિત અનેક મુદ્દાઓ પર ગરમાગરમી થવાની શક્યતા છે.
 
તો આર્થિક સુસ્તી અને બેરોજગારી મામલે પણ વિપક્ષ સરકારને ઘેરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને દરેક મુદ્દા પર ચર્ચા કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. અમે તમામ પક્ષકારો સાથે હકારાત્મક મુદ્દાઓ અને પ્રદૂષણ, અર્થતંત્ર અને ખેડૂતોને લગતા બાકી મુદ્દાઓ પર કામ કરીશું. રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ વડા પ્રધાનની ખાતરી સાથે સહમત જોવા મળ્યા નહી. 
 
તેમણે કહ્યું કે, જ્યારે બેરોજગારી, આર્થિક મંદી અને ખેડૂતોની પરિસ્થિતિનો મામલો આવે છે, ત્યારે સરકાર જુદો જુદો અભિગમ અપનાવે છે. તેમણે કહ્યું કે વિપક્ષ આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ માંગશે.
 
આ ઉપરાંત વિપક્ષે કાશ્મીરના નેતા ફારૂખ અબદુલ્લાને સંસદની કામગીરીમાં સામેલ કરવામાં આવે તેવી માગ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં એક હજાર કરોડના ખર્ચે બનશે ભવ્ય મંદિર, 100 મીટર હશે ઉંચાઇ