Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમિક્રૉનની દહેશતના કારણે ફરી પ્રતિબંધ-આ શહેરમાં ધારા 144 લાગુ કરવાના આદેશ

ઓમિક્રૉનની દહેશતના કારણે ફરી પ્રતિબંધ-આ શહેરમાં ધારા 144 લાગુ કરવાના આદેશ
, બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:41 IST)
વિધાનસભા બહાર ભારે સુરક્ષા 
લખનૌમાં કલમ 144 લાગુ કરવાના આદેશ 
 
કોરોનાના નવા વેરિએંટને લઈન રાજ્યોમાં સાવધાની રાખવાની શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પણ બોર્ડર પર ચેકીંગ કરવાઈ છે. મહારાષ્ટ્રથી આવતા બધા વાહનોની ચેકીંગ પ્રક્રિયા શરૂ થઈ છે. અનેક રાજ્યોમાં સ્કૂલો બંધ કરવાના નિર્ણય કર્યા તો શહેરમાં પણ પ્રતિબંધ વધાર્યા છે. 
 
લખનૌમાં કલમ 144 લાગુ કરવાના આદેશ 
આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે અને રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
 
લખનૌમાં ક્રિસમસ 31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને 2 ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે. પોલીસે મંગળવારે આને લઈને જારી આદેશમાં કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ લખનૌમાં 5 જાન્યુઆરી 2022 સુધી નિષેઘાજ્ઞા લાગૂ રહેશે. 
 
વિધાનસભા બહાર ભારે સુરક્ષા
નવા નિયમો મુજબ આ વિસ્તારમાં ઈક્કા, તાંગા, આતિશબાજી,  જ્વલનશીલ પદાર્થને લઈને ચાલવું પ્રતિબંધિત રહેશે. ત્યારે ઓનલાઈન ગતિવિધીઓ પર સાઈબર ક્રાઈમ સેલની બાજ નજર રહેશે. 
 
ઓમિક્રોન થી બચવામાટે 
કોવિડ-19 ના નિયમોનું પાલન કરો
તે મહત્વનું છે કે તમે પોતે અને અન્ય લોકો પણ કોવિડ-19ના નિયમોનું પાલન કરો. 
રસીકરણની ખાતરી કરો, 
માસ્ક પહેરો, 
લગભગ 20 મિનિટ અને સમયાંતરે તમારા હાથ ધોવા, 
સામાજિક અંતર જાળવવું, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને બાળકોની વિશેષ કાળજી લેવી વગેરે.
હેલ્દી ખોરાક
 
 
Omicron ઓમિક્રોન થી બચવાના ઉપાય
કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (B.1.1.529)એ ફરી એકવાર વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VoC)ના લિસ્ટમાં રાખ્યો છે.
 
ઓમિક્રોન ડેલ્ટા વેરિયંટ કરતા 6 ગણુ વધારે શક્તિશાળી છે. ઓમિક્રોનના અત્યાર સુધી 50 મ્યુટેશન થઈ ગયા છે. ઓમિક્રોન પર મોનોક્લોનલ એંટીબૉડી થેરપી પણ બેઅસર થઈ રહી છે.
 
વિશ્વના 29 દેશોમાં 373 લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યું છે, જેમાંથી 183 દક્ષિણ આફ્રિકાના છે. તેની ઝડપનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં 50 ટકા કેસમાં બીટા વેરિઅન્ટ અને 75 ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં 100 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને 80 ટકા કેસમાં માત્ર 10 દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે. . તેથી તે અન્ય વાયરસ પ્રકારો કરતાં 500% ઝડપી હોવાનું માનવામાં આવે છે.
 
Omicron ના લક્ષણો શું છે
વૈજ્ઞાનિકોના મતે, આ પ્રકારમાં માત્ર હળવા લક્ષણો જ રહે છે. તેમનામાં માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાક જેવા લક્ષણો છે. જે લગભગ 50 છે. આમાં, 30 મ્યુટેશન સ્પાઇક પ્રોટીન મળી આવ્યા છે. સામાન્ય ભાષામાં, વાયરસ સ્પાઇક પ્રોટીન દ્વારા વાયરસ સેલ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. નિષ્ણાતો દ્વારા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જે તપાસ કરી છે તે મુજબ, કોરોનાના આ પ્રકારમાં સૌથી વધુ મ્યુટેશન છે.
ઓમિક્રોનના લક્ષણ વિશે WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણ સામે નથી આવ્યા, પરંતુ સાઉથ આફ્રિકાના ડૉ. એન્જેલિક કોએટ્જી જેને સૌથી પહેલા COVID-19 ઓમાઈક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ કર્યો હતો. તેમના અનુસાર, ઓમિક્રોનના “અસમાન્ય પરંતુ હળવા” લક્ષણ જોવા મળી રહ્યા છે.
 
ઓમિક્રોનના લક્ષણો
- થાક લાગવી.
- હળવુ તાવ આવવું
- ગળામાં દુખાવો
- માથામાં દુખાવો
- સ્નાયુઓમા6 દુખાવો
 
ઓમિક્રોનથી બચવા માટે - જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને કોરોના વધુ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે એવો ખોરાક લો, જેમાં વિટામીન-સી, પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ જેવી વસ્તુઓ હોય.
 
તણાવથી દૂર રહો
ઘણા અભ્યાસો દર્શાવે છે કે તણાવ લેવાથી અને તેને વધારવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ઘણા લોકો કોરોનાને કારણે તણાવ લેવાનું શરૂ કરે છે, જે ખોટું છે. તણાવ લેવાને બદલે, તમારે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં સાધુની માથા વિનાની લાશ મળી, તપાસ કરતાં એક પછી એક ખૂલ્યા રહસ્યો