Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nuclear War- શું હોય છે પરમાણુ યુદ્ધ? જ્યારે હિરોશિમા પર ગિરાવ્યો હતો અમેરિકાએ એટમ બોમ્બ

Nuclear War- શું હોય છે પરમાણુ યુદ્ધ? જ્યારે હિરોશિમા પર ગિરાવ્યો હતો અમેરિકાએ એટમ બોમ્બ
, બુધવાર, 2 માર્ચ 2022 (13:44 IST)
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલુ છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવથી થોડા દૂરી પર રશિયાની સેના રોકાઈ છે. દરમિયાન, વ્લાદિમીર પુતિને રશિયા પરના આર્થિક પ્રતિબંધોના જવાબમાં પરમાણુ હથિયારો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. યુદ્ધમાં રશિયા દ્વારા લેવામાં આવેલો આ પણ મોટો નિર્ણય છે. કારણ કે જો રશિયા દ્વારા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી બે દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ(Nuclear War) શરૂ થશે. અમેરિકા પણ સતત રશિયાને આવું ન કરવાની સૂચના આપી રહ્યું છે.
 
સંરક્ષણ નિષ્ણાતો સંદીપ થાપરે જણાવ્યું કે જો 30 કિલોટનના પરમાણુ બોમ્બ(Nuclear Bomb) નો ઉપયોગ કરવામાં આવે તો 4 કિમી સુધીના વિસ્તારને સંપૂર્ણપણે નષ્ટ કરી શકાય છે. બીજી તરફ, જો 1000 કિલોટન સુધીના બોમ્બ ફેંકવામાં આવે તો તેની અસર 100 કિમી સુધી પહોંચી શકે છે. આ વિનાશ ગોળાકાર સ્વરૂપમાં થાય છે. આ હુમલો હિરોશિમા અને નાગાસાકી કરતા પણ વધુ નુકસાન કરી શકે છે. હિરોશિમા પર ફેંકાયેલો પરમાણુ બોમ્બ 15 કિલોટન અને નાગાસાકી પર 20 કિલોટનનો હતો. બોમ્બે બંને શહેરોને તબાહ કરી નાખ્યા. થાપરે વધુમાં કહ્યું કે રશિયા જ્યાં 10 કિમી સુધીના વિસ્તારમાં વસ્તી નથી ત્યાં અણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. પહેલા ડરાવવું અને પછી બતાવવું કે આગલી વખતે પરમાણુ હુમલો થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nuclear War: અડધો કલાકમાં 10 કરોડ મોત થશે, 18 હજાર વર્ષ પાછળ જતી રહેશે દુનિયા, જાણો પરમાણુ યુદ્ધ થયુ તો શુ થશે ?