" />

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રના બુલઢાણામાં બે બસો વચ્ચે ભીષણ અથડામણ, 6ના મોત અને અનેક ઘાયલ

accident
, શનિવાર, 29 જુલાઈ 2023 (08:48 IST)
મહારાષ્ટ્રમાંથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર નજીક નેશનલ હાઈવે-6 પર આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી ટ્રાવેલ બસની સામસામે જોરદાર ટક્કર થઈ ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મુસાફરોના મોત થયા છે. સાથે જ  20 થી 25 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 5 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ મલકાપુર શહેર નજીક નેશનલ હાઈવે પર સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. આમાંથી એક બસ અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા મુસાફરોથી ભરેલી હતી અને હિંગોલી તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી.
 
અમરનાથથી પરત ફરી રહેલા મુસાફરોથી ભરેલી હતી બસ 
 
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુરમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં વહેલી સવારે બે પેસેન્જર બસો સામસામે અથડાયા હતા. આ અથડામણમાં બંને બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો.  આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે ચાર-પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સિવાય લગભગ 30 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટના અંગે મલકાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીએ જણાવ્યું કે, એક બસ અમરનાથ યાત્રા પર હિંગોલી જઈ રહી હતી અને બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. આ અકસ્માત સવારે 3.00 કલાકે થયો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDIA TV-CNX Opinion Poll : લોકસભાની ચૂંટણી જો હાલ યોજાય તો મોદીના NDAને ભારત ગઠબંધન પર મોટી લીડ મળશે.