Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kejriwal શપથ ગ્રહણ સમારોહ: રામલીલા મેદાનમાં 'નાયક 2 ઇઝ બેક અગેન' પોસ્ટર

Kejriwal શપથ ગ્રહણ સમારોહ: રામલીલા મેદાનમાં 'નાયક 2 ઇઝ બેક અગેન' પોસ્ટર
, રવિવાર, 16 ફેબ્રુઆરી 2020 (09:30 IST)
નવી દિલ્હી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. રામલીલા મેદાનમાં કેજરીવાલના પોસ્ટરો ભરાયા છે. આમાંના કેટલાક પોસ્ટરોમાં લખ્યું છે કે નાયક 2 બેક અગેન છે.
 
રામલીલા ગ્રાઉન્ડ અરવિંદ કેજરીવાલના શપથ માટે તૈયાર છે, ગ્રાઉન્ડમાં લગભગ 45 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં આશરે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
webdunia
શપથ ગ્રહણ સમારોહ માટે આખી દિલ્હીને આમંત્રણ અપાયું છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને પણ અપીલ કરી છે કે વધુને વધુ લોકો તેમના શપથ સમારોહમાં પહોંચે.
 
સમારોહ 16 ફેબ્રુઆરીએ બપોરે 1215 વાગ્યે યોજાશે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લેશે. આ બધા કેજરીવાલની ગત સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.
નોંધનીય છે કે 70 સદસ્યોની દિલ્હી વિધાનસભામાં AAP એ 62 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ સતત બીજી વાર ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રમ્પની મુલાકાત મુદ્દે ચારે તરફ સુધારો થતાં સોશિયલ મીડિયામાં ઠેકડીઓ ઉડી